Sunday, November 9, 2014

MADHYAHAN KENDRA NE AKSHAYPATRA SANSTHA NE APVA NO VIRODH

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અક્ષયપાત્ર સંસ્થાને સોંપવાનો વિરોધ
ભાવનગર, 
જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અક્ષયપાત્ર સંસ્થાને સોંપવાના નિર્ણયનો મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે તેનાથી જિલ્લાના મ.ભ.યો. કેન્દ્રો સાથે સંકળાયેલ ત્રણ હજાર ભાઈ-બહેનોના ગુજરાનનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
ભાવનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળના પ્રમુખ અને મહામંત્રીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં હાલમાં ૧૦૦૦ ઉપરાંત મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા મધ્યાહન ભોજનનાં સંચાલકોને છુટા કરી ભાવનગર જિલ્લાનાં મધ્યાહન ભોજનનાં કેન્દ્રો અક્ષય પાત્ર સંસ્થાને સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે રાજ્ય સરકારમાં ઠરાવ મોકલવામાં આવેલ છે. જે અનુસંધાને ભાવનગર જિલ્લાનાં આશરે ત્રણ હજાર કર્મચારી ભાઈઓ તથા બહેનોનાં ગુજરાનનું પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ છે. તેમજ મધ્યાહન ભોજનમાં કામ કરતા સંચાલક, રસોઈયા, મદદનીશ કફોડી હાલતમાં મુકાઈ જવા પામેલ છે. જેબાબતે રાજ્ય કર્મચારી સંઘ દ્વારા રાજ્ય સરકારમાં આ બાબતે રજુઆત કરવામાં આવેલ છે કે મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓને છુટા ન કરવા અને આ યોજના અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ન ચલાવવામાં આવે તે માટે ભાવનગર જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી સંઘનાં પ્રમુખ કનુભાઈ દેસાઈ તથા મહામંત્રી ગણપતસિંહ ગોહિલ દ્વારા જિલ્લા કલેકટરને આજરોજ રજુઆત કરવામાં આવેલ છે. તેમજ આ અંગેનાં કાર્યક્રમો બાબત સંચાલકોને જાણ કરવામાં આવશે. તેમ સંચાલક મંડળની યાદીમાં જણાવાયું હતું.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured