Friday, May 30, 2014

પોતાના જીવનને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવા સામે મોદીનો વિરોધ


પોતાના જીવનને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવા સામે મોદીનો વિરોધ

મોદીનુ ટ્વીટઃભારતમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે,વિદ્યાર્થીઓ તેમના વિશે વાંચે

મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારે મોદીના વિરોધ પછી નિર્ણય પાછો ખેંચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનને પાઠ્ય પુસ્તકમાં શામેલ કરવાની હીલચાલ સામે વિરોધ કર્યો છે.મોદીએ ટ્વીટ કર્યા બાદ મધ્યપ્રદેશ સરકારે મોદીના જીવનને પાઠ્ય પુસ્તકમાં સ્થાન આપવાના નિર્ણયને પાછો પણ ખેંચી લીધો છે.

ઉલ્લેખનીય છે કે મોદીના જીવન સંઘર્ષને મધ્યપ્રદેશના પાઠ્ય પુસ્તકમાં સ્થાન મળવાનુ હતુ.મધ્યપ્રદેશ બાદ ગુજરાત સરકારે પણ આ જ પ્રકારની હીલચાલ શરુ કરી હતી.

પરંતુ મોદીએ આજે ટ્વીટ કરીને તેનો વિરોધ કર્યો છે.મોદીનુ કહેવુ છે કે કોઈ પણ જીવંત વ્યક્તિને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળવુ જોઈએ નહી.એમ પણ ભારતમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે.પાઠ્ય પુસ્તકોમાં વિદ્યાર્થીઓ તેમના અંગે વાંચે અને જાણે તે વધારે યોગ્ચ છે.

- See more at: http://gujaratteachergroup.blogspot.in/#sthash.wFj6SpI2.dpuf

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured